:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઈઝરાયેલના ગાઝા પટ્ટી પર હવાઈ હુમલામાં 24 કલાકમાં 756 લોકોના મોત

top-news
  • 26 Oct, 2023

ઈઝરાયેલ અને હમાસના યુદ્ધના 19માં દિવસે ઈઝરાયેલી વાયુસેનાએ ગાઝા પટ્ટી પર ભીષણ બોમ્બમારો કર્યો હતો. જેથી છેલ્લા 24 કલાકમાં ગાઝા પટ્ટીમાં 756 લોકો માર્યા ગયા, જે 7 ઓકટોબરથી ચાલુ યુદ્ધમાં એક દિવસમાં સૌથી વધુ મોતની સંખ્યા છે. ગાઝા પર થયેલા ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 6546 લોકોના મોત થયા છે.

માર્યા ગયેલા લોકોમાં 344 બાળકોનો સમાવેશ થાય છે, જયારે બીજી બાજુ હમાસના હુમલાથી ઈઝરાયેલમાં 1400 લોકોના મોત થયા છે. ઈઝરાયેલ ગાઝાના મળી કુલ 7044 લોકોના મોત અત્યાર સુધીમાં થયા છે. એકબાજુ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ યુદ્ધને રોકવાની અને વિશ્વ શાંતિની બધી યોજનાઓ વિફળ થતી જોવા મળી રહી છે. બુધવારે અમેરિકી જો બાઈડને ટિપ્પણી કરી હતી કે ભવિષ્યમાં ઈઝરાયેલી અને ફિલીસ્તીની રાજયોએ સાથે સાથે સામેલ થવું પડશે.

બાઈડને વોશિંગ્ટનમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બાનીઝની સાથે સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે ઈઝરાયેલી અને ફિલીસ્તીની સમાન રીતે સુરક્ષા, સન્માન અને શાંતિથી સાથે રહેવાના હકદાર છે. બાઈડને જણાવ્યું હતું કે ઈસ્લામવાદી હમાસ સમૂહ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવા 1400 લોકોની હત્યા કરવા અને વિભિન્ન રાષ્ટ્રીયતાના 200થી વધુ લોકોને બંધક બનાવવાનું એક કારણ ઈઝરાયેલ અને સાઉદી અરબ વચ્ચેના સંબંધોને સામાન્ય થતા રોકવાનું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎