:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી: લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવવામાં આવી, EDએ સુપ્રીમ કોર્ટને કરી જાણ

top-news
  • 17 May, 2024

દિલ્હી લીકર પોલીસી સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર આજે બીજા દિવસે પણ સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટીને લીકર નીતિ કૌભાંડ મામલામાં આરોપી બનાવવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ અરજી પર સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજૂએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આજે પ્રોસિક્યુશન ફરીયાદ દાખલ કરવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટીને આરોપી બનાવવામાં આવી છે. 

તપાસ એજન્સીનો આરોપ છે કે સાઉથ ગ્રુપ દ્વારા આપવામાં આવેલી 100 કરોડ રૂપિયાની લાંચમાંથી 45 કરોડ રૂપિયાનો ઉપયોગ આપ દ્વારા 2022માં ગોવા વિધાનસભા ચૂંટણી અભિયાનમાં કરવામાં આવ્યો હતો. એએસજી રાજૂએ આજે કોર્ટને જણાવ્યું કે લાંચ હવાલાના માધ્યમથી મોકલવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ અત્યાર સુધીમાં મામલામાં 7 ચાર્જશીટ દાખલ કરી છે. 21 માર્ચે અરવિંદ કેજરીવાલ અને 15 માર્ચે કે.કવિતા સહિત 18 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં ગત માર્ચમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. 

દિલ્હી હાઈકોર્ટે એક મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે રાજકીય પક્ષો પણ મની લોન્ડ્રિંગ કાયદાની કલમ 70ની સીમામાં આવે છે. કથિત લીકર કૌભાંડમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટની કલમ 70 લાગુ થાય છે. કલમ 70 કોઈ કંપની તરફથી કરાતા અપરાધોની સજાનું પ્રાવધાન કરે છે. હવે ઈડીએ આ મામલામાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎