:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત: ખરાબ હવામાનને પગલે રેસ્ક્યુ ટીમને દુર્ઘટના સ્થળ સુધી પહોંચતા જ 17 કલાક લાગ્યા

top-news
  • 20 May, 2024

ઈરાનની હેલિકોપ્ટર દુર્ઘટનામાં દુ:ખદ સમાચાર આવ્યા છે. આ ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું મૃત્યુ થયું છે. એક ઈરાની અધિકારીએ આ અંગે જણાવ્યું છે કે રેસ્ક્યુ ટીમોએ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરના કાટમાળને શોધી કાઢ્યો છે અને એ વાતની શક્યતા ખૂબ જ ઓછી છે કે ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને તેમના વિદેશ મંત્રી બરફીલા હવામાનની વચ્ચે પહાડી વિસ્તારમાં થયેલી આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવતા બચ્યા હોય. ઈરાનના પ્રેસ ટીવીએ એક એક્સ પોસ્ટમાં લખ્યું છે કે રેસ્ક્યુ ટીમે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરની ઓળખ કરી લીધી છે. જોકે કોઈ પણ જીવિત વ્યક્તિ કોઈ ભાળ હજી સુધી મળી નથી. 

આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે પ્રમુખ ઈબ્રાહિમ રઈસી ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારબાદ હેલિકોપ્ટરના હાર્ડ લેન્ડિંગની આ ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 600 કિલોમીટર (375 માઈલ) ઉત્તર-પશ્ચિમમાં અઝરબૈજાનની સરહદે આવેલા જુલ્ફા શહેરની નજીક બની હતી. સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન, ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર અને અન્ય અધિકારીઓ અને અંગરક્ષકો પણ રઈસી સાથે મુસાફરી કરી રહ્યા હતા.

.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર સામેલ હતા, જેમાંથી બે તો સુરક્ષિત પરત ફર્યા હતા પરંતુ તે હેલિકોપ્ટર પરત ફર્યું નહોતું, જેમાં ઈબ્રાહિમ રઈસીની સાથે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વી અજરબૈજાન પ્રાંતના ગવર્નર માલેક રહમત અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી આલે-હાશમે પણ સવાર હતા. અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ રઈસીનું હેલિકોપ્ટર સંપૂર્ણ સળગી ગયું. તેના પગલે તેમાં સવાર તમામ લોકોના મોત થવાની શક્યતા છે. 

પૂર્વી અજરબૈજાન પ્રાંતના પહાડી વિસ્તારમાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરના કાટમાળ સુધી પહોંચવા માટે રેસ્ક્યુ ટીમ આખીરાત બરફના તોફાનની વચ્ચે સંઘર્ષ કરતી રહી હતી. તે પછીથી તે આજે સોમવારે ઘટનાસ્થળ સુધી પહોંચી શકી હતી. હવામાન ખરાબ હોવાના પગલે રેસ્ક્યુ ટીમને ઘટના સ્થળ સુધી પહોંચવામાં 17 કલાકનો સમય લાગ્યો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎