:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ભાજપનાં નેતા સંબિત પાત્રાએ માફી માંગી: ભગવાન જગન્નાથને PM નરેન્દ્ર મોદીનાં ભક્ત કહ્યાં હતા, ઓડિશાના મુખ્યમંત્રીએ કહ્યું- આ ભગવાનનું અપમાન

top-news
  • 21 May, 2024

બીજેપી નેતા અને પુરી લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર સંબિત પાત્રાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથ પર કરવામાં આવેલી ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે. તેની એક કથિત વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં તેઓ કોઈ ઓડિયો ચેનલ સાથેની વાતચીતમાં એમ કહેતા સાંભળી શકાય છે કે ભગવાન જગન્નાથ પીએમ મોદીના ભક્ત છે. 

સંબિત પાત્રાની વાઈરલ વીડિયો ક્લિપ પર પ્રતિક્રિયા આપતા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે મહાપ્રભુ શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને બીજા માણસનાં ભક્ત કહેવા તે ભગવાનનું અપમાન છે. તેનાથી ભાવનાઓને ઠેસ પહોંચી છે અને વિશ્વભરના કરોડો જગન્નાથ ભક્તોનું અપમાન થયું છે. 

બીજેપી નેતા સંબિત પાત્રાએ તેમના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે મારી જીભ લપસી ગઈ હતી. સીએમ નવીન પટનાયકની એક્સ પોસ્ટને શેર કરતા પાત્રાએ લખ્યું કે આજે પુરીમાં પીએમ નરેન્દ્ર મોદીજીના રોડ શોની ભારે સફળતા પછી મેં મીડિયા ચેનલોને ઘણી બાઈટ્સ આપી, દરેક જગ્યાએ મેં ઉલ્લેખ કર્યો કે મોદીજી એક ઉત્સાહી અને શ્રીજગન્નાથ મહાપ્રભુનાં ભક્ત છે. મેં તેનું ઉંધુ ઉચ્ચારણ કરી દીધું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎