:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને આપી રાહત: વોડફોન આઈડિયા, ભારતી એરટેલ, રિલાયન્સ જિઓ, બીએસએનએલ જેવી કંપનીઓને થશે ફાયદો, 3000 કરોડ સુધીનો થઈ શકે છે લાભ

top-news
  • 21 May, 2024

સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને મોટી રાહત આપી છે. તેનો લાભ આર્થિક કટકોટીનો સામનો કરતી વોડફોન આઈડિયા, ભારતી એરટેલ, રિલાયન્સ જિઓ, બીએસએનએલ જેવી કંપનીઓને થશે. કોર્ટે ટેલિકોમ કંપનીઓને કહ્યું છે કે કંપનીઓએ બાકી ઈનકમ ટેક્સ પર વ્યાજ ચૂકવવુ પડશે નહીં. આ પગલાંથી ટેલિકોમ કંપનીઓને રૂ.2000થી 3000 કરોડ સુધીનો લાભ થશે. અગાઉ ઓક્ટોબર, 2023માં સુપ્રીમ કોર્ટે રેવેન્યૂ ખર્ચમાં સામેલ લાયસન્સ ફીને મૂડી ખર્ચ કેટેગરીમાં વર્ગીકૃત કરી હતી. 

ઉલ્લેખનીય છે, આ રાહત જૂની બાકી એજીઆરમાં લાગૂ થશે નહીં. અગાઉ નેશનલ ટેલિકોમ પોલિસી 1999 અંતર્ગત ટેલિકોમ કંપનીઓને તેમના વાર્ષિક ટર્નઓવર આધારિત લાયસન્સ ફી ચૂકવવા વન-ટાઈમ એન્ટ્રી ફી ચૂકવવી પડતી હતી. જેને ધ્યાનમાં રાખી આ ચૂકવણીને મૂડી ખર્ચમાં વર્ગીકૃત કરવામાં આવી હતી. જેનાથી કંપનીઓની ટેક્સ જવાબદારી અને વ્યાજ બંનેમાં વધારો થયો હતો.

સુપ્રીમ કોર્ટે હાલ નિર્ણય લીધો છે કે, વાર્ષિક વેરિએબલ લાયન્સ ફીને પુનઃવર્ગીકૃત કરી શકાશે નહીં. જેનો વિરોધ કરતાં ટેલિકોમ કંપનીઓએ દલીલ કરી હતી કે, જૂનો નિર્ણય લાગૂ કરવાથી ટેક્સેબલ આવકમાં વધારો થશે. તેમજ જે અમને 20 વર્ષ જૂના સ્થાને લઈ જશે. જેથી આ મામલે પુનઃ વિચારણા કરતી પિટિશન ફાઈલ કરી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎