:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મુખ્યમંત્રી કેજરીવાલને ધમકી આપવાનો મામલો: દિલ્હી મેટ્રોમાં કેજરીવાલને ધમકી આપતા મેસેજ લખનાર યુવકની ધરપકડ, બેન્કના કર્મચારીએ કર્યું આ કામ

top-news
  • 22 May, 2024

દિલ્હી મેટ્રો સ્ટેશનો અને ટ્રેનની અંદર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મારી નાંખવાની ધમકી આપતા મેસેજ લખનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. ધમકી ભરેલા મેસેજ લખનાર આરોપીના સીસીટીવી ફુટેજ એક મીડિયા ચેનલની પાસે ઉપલબ્ધ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીનું નામ અંકિત ગોયલ છે અને બરેલીનો રહેવાસી છે. તે બરેલીથી ગ્રેટર નોઈડા મકાનનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યો હતો. 

અંકિત અહીં એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો અને દિલ્હી મેટ્રોમાં સફર દરમિયાન તેણે કેજરીવાલના નામના ધમકી ભર્યા મેસેજ લખ્યા હતા. તે ખૂબ જ ભણેલો-ગણેલો છે અને એક જાણીતી બેન્કમાં કામ કરે છે. તે રાજકીય પાર્ટી સાથે જોડાયેલો નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીની માનસિક સ્થિતિ હાલ ઠીક નથી. જોકે મેડિકલ પછી આ અંગેની પુષ્ટિ થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે 19 મેના રોજ પટેલ નગર અને રાજીવ ચોક મેટ્રો સ્ટેશનો અને એક ટ્રેન કોચમાં કેજરીવાલને લઈને અંગ્રેજીમાં ધમકી આપનારા સંદેશ લખવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ આ મામલામાં પ્રેસ કોન્ફરન્સ કરીને BJP અને PMO પર કેજરીવાની હત્યાનું ષડયંત્ર રચવા અંગેનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી પોલીસનું મેટ્રો યુનિટે આ મામલામાં એફઆઈઆર નોંધીને તપાસ કરી રહ્યું હતું. ધમકી ભરેલા સંદેશ લખનાર આરોપીની ઓળખ સીસીટીવી ફુટેજ દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎