:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ભાજપે બિહારના નેતા સામે લીધા પગલા: ભોજપુરી સુપર સ્ટાર પવન સિંહ પર ભાજપની કાર્યવાહી, પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા

top-news
  • 22 May, 2024

ભાજપના ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. તેઓ કારકાટ લોકસભા સીટથી એનડીએ ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહની વિરુદ્ધ અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે. પવન સિંહ પર શિસ્તનું પાલન ન કરવા અને પાર્ટી વિરોધી ગતિવિધિઓ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. બિહાર ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના આદેશથી તેમને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. 

બિહાર બીજેપીના પ્રદેશ મુખ્યાલયના પ્રભારી અરવિંદ શર્માએ આ અંગેના આદેશમાં લખ્યું છે કે પવન સિંહ લોકસભા ચૂંટણીમાં એનડીએના અધિકૃત ઉમેદવારની વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યાં છે. તેમનો આ કાર્યકાળ પાર્ટી વિરુદ્ધ છે. તેમણે આ કાર્ય પાર્ટીની શિસ્તની વિરુદ્ધ કર્યું છે, તેનાથી પાર્ટીની છબીને અસર પહોંચી છે. તેમને દળ વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાના કારણે પ્રદેશ અધ્યક્ષના આદેશ અનુસાર ભાજપમાંથી કાઢી મુકવામાં આવે છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎