:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરવાનો મામલો: પોલીસ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના માતા-પિતાની થોડીવારમાં પૂછપરછ કરશે, CM આવાસ પર ભેગા થયા આપ સમર્થક

top-news
  • 23 May, 2024

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં માતા-પિતાની આજે દિલ્હી પોલીસે પૂછપરછ કરવાની છે. આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ કેજરીવાલના માતા-પિતાની પૂછપરછ કરવા દિલ્હી પોલીસે 11.30નો સમય આપ્યો છે. દિલ્હી પોલીસની એક ટીમ આજે પૂછપરછ કરવા માટે સીએમ કેજરીવાલનાં ઘરે પહોંચશે. આ દરમિયાન આપના સમર્થકોએ સીએમ કેજરીવાલના આવાસ પર એકત્રિત થવાનું શરૂ કર્યું છે. 


ઉલ્લેખનીય છે કે સ્વાતિ માલીવાલ સાથેના કથિત મારપીટના મામલામાં આ પૂછપરછ થવાની છે. પૂછપરછ પાછળનું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે જે સમયે આ ઘટના ઘટી સીએમ કેજરીવાલના માતા-પિતા ઘર પર જ હાજર હતા. પોલીસ આ મામલામાં ઘરમાં હાજર તમામ લોકોના નિવેદન નોંધવા માંગે છે. 

સીએમ કેજરીવાલે એક દિવસ પહેલા જ દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસ હવે તેમના માતા-પિતાની પૂછપરછ કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ લખતા તેમણે કહ્યું હતું કે દિલ્હી પોલીસ મારા વૃદ્ધ અને બીમાર માતા-પિતાની પૂછપરછ કરવા આવશે. 

સૂત્રોના જણાવ્યા મુજબ સ્વાતિ માલીવાલે મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે જ્યારે તે 13 મેના રોજ સીએમ હાઉસ ગઈ હતી, ત્યારે અરવિંદ કેજરીવાલના માતા અને પિતા અને સુનિતા કેજરીવાલ બ્રેકફાસ્ટ કરી રહ્યાં હતા. સ્વાતિએ ત્રણેયને મોર્નિંગ વિશ કરી હતી અને પછીથી તે ડાયનિંગ હોલમાં આવી ગઈ હતી, જ્યાં ઉગ્ર બોલાચાલી પછીથી તેની સાથે મારપીટ થઈ હતી. AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથેના મારપીટના મામલામાં સીએમ કેજરીવાલના પીએ વિભવ કુમાર હાલ 5 દિવસની પોલીસ કસ્ટડીમાં છે.