:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બાંગ્લાદેશના સાંસદની ભારતમાં હત્યાનો મામલો: સાંસદને હનીટ્રેપમાં ફસાવનારી મહિલાની પોલીસે કરી ધરપકડ, કોલકાતામાંથી મળી હતી સાંસદની લાશ

top-news
  • 24 May, 2024

કોલકાતામાં બાંગ્લાદેશનાં સાંસદ અનવારુલ અજીમ આનારની હત્યાને લઈને રોજ નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. સાંસદની હત્યામાં તેમની બાળપણની દોસ્તે ષડયંત્ર રચ્યું હોવાની વાત બહાર આવી છે. બીજી તરફ એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ મામલો પાંચ કરોડની સપોરીમાં પાર પાડવામાં આવ્યો છે. તો બીજી એવી પણ ચર્ચા છે કે હનીટ્રેપ પણ આ મામલામાં થઈ હોઈ શકે. પોલીસે એક મહિલાની આ મામલામાં ધરપકડ કરી છે. એમ કહેવાઈ રહ્યું છે કે આ મહિલા દ્વારા સાંસદની હનીટ્રેપ કરવામાં આવી હતી.  

આ મહિલાનું નામ શિલાંતી રહેમાન છે, જે બાંગ્લાદેશની નાગરિક છે. બાંગ્લાદેશ પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિલાન્તી આ હત્યાકાંડના માસ્ટરમાઈન્ડ અક્તારુઝમાન શાહીનની ગર્લફ્રેન્ડ છે. જે સમયે સાંસદ અનવારુલની હત્યા કરવામાં આવી હતી. તે કોલકાતામાં હતી અને 15 મેના રોજ આ હત્યાકાંડના મુખ્ય આરોપી, ખૂની અમાનુલ્લા અમાન સાથે ઢાકા પરત આવી હતી.પોલીસ સૂત્રોનું કહેવું છે કે બાંગ્લાદેશથી સાંસદને કોલકાતા બોલાવવા માટે અક્તરુજમાને શિલાન્તીનો હનીટ્રેપ તરીકે ઉપયોગ કર્યો હતો. આ કેસમાં બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા આરોપીઓના નિવેદનના આધારે શિલાન્તીની અટકાયત કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ સીઆઈડીએ બાંગ્લાદેશ સાંસદની હત્યા કેસમાં પ્રથમ ધરપકડ કરી છે. CID સૂત્રોનું કહેવું છે કે પશ્ચિમ બંગાળ CID દ્વારા જેહાદ હવાલદાર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેહાદ એક વ્યાવસાયિક કસાઈ છે. આ કામને અંજામ આપવા માટે તેને મર્ડર માસ્ટર માઈન્ડ અક્તરુઝમાને મુંબઈથી ખાસ બોલાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર બે મહિના પહેલા જ આ કામ માટે જેહાદને રાખવામાં આવ્યો હતો અને તેને મુંબઈથી કોલકાતા બોલાવવામાં આવ્યો હતો. જેહાદને 5 કરોડ રૂપિયાની સોપારીનો હિસ્સો પણ આપવામાં આવ્યો હતો. તે કોલકાતા એરપોર્ટ પાસેની એક હોટલમાં રોકાયો હતો.

તમને જણાવી દઈએ કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે સાંસદ અનવરુલના નજીકના મિત્રએ આ હત્યા માટે 5 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. સાંસદનો આ મિત્ર અમેરિકન નાગરિક છે.તપાસ મુજબ, બાંગ્લાદેશી સાંસદ અનવરુલના બાળપણના મિત્ર અકતારુઝમાન શાહીને વેપારી દુશ્મનાવટના કારણે સાંસદની હત્યાની યોજના ઘડી હતી. શાહીન ઝિનાઈદહની રહેવાસી છે. તેની પાસે અમેરિકન નાગરિકતા પણ છે.
 

તેમના ભાઈ ઝિનાઈદહની કોટચંદપુર નગરપાલિકાના મેયર છે. તમને જણાવી દઈએ કે અનવરુલ ઝિનાઈદહથી સાંસદ હતા.શાહીન 30 એપ્રિલે અમાન અને તેની ગર્લફ્રેન્ડ સિલિસ્તા રહેમાન સાથે કોલકાતા ગઈ હતી. તેણે કોલકાતાના સંજીબા ગાર્ડનમાં ડુપ્લેક્સ ભાડે રાખ્યો હતો. શાહીનના બે સહયોગી સિયામ અને જેહાદ પહેલાથી જ કોલકાતામાં હતા. બંનેએ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.શાહીન 10 મેના રોજ બાંગ્લાદેશ પરત ફરી હતી. તેણે હત્યાની સમગ્ર જવાબદારી અમનને સોંપી દીધી. પ્લાન મુજબ અમાને બાંગ્લાદેશથી વધુ બે હિટમેનને કોલકાતા બોલાવ્યા. ફૈઝલ શાજી અને મુસ્તફિઝ 11 મેના રોજ કોલકાતા ગયા અને આ ષડયંત્રમાં સામેલ થયા.

12 મેના રોજ દર્શન બોર્ડર દ્વારા કોલકાતા ગયા હતા. તે પ્રથમ દિવસ તેના મિત્ર ગોપાલના ઘરે રોકાયો હતો. દરમિયાન હત્યારાએ તેને 13 મેના રોજ તેના ફ્લેટમાં બોલાવ્યો હતો.13 મેના રોજ અનવરૂલ સંજીબા ગાર્ડનમાં અમનના એપાર્ટમેન્ટમાં ગયો હતો. આ દરમિયાન અમાને તેના સાગરિતો ફૈઝલ, મુસ્તફિઝ, સિયામ અને જેહાદ સાથે મળીને તેમને પકડી લીધા હતા. તેણે અનવારુલને શાહીનને પૈસા પરત કરવા પણ કહ્યું. આ મુંઝવણમાં તેણે અનવરુલનું મોઢું ઓશીકા વડે દબાવીને હત્યા કરી નાખી. 

હત્યા બાદ અમાને શાહીનને તેની જાણ કરી હતી.અમન પાસેથી મળેલી માહિતીના આધારે ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યું હતું કે શાહીનની સૂચના મુજબ અનવરુલના શરીરના ટુકડા કરવામાં આવ્યા હતા જેથી તેનો સરળતાથી નિકાલ કરી શકાય. આ માટે ફ્લેટ પાસેના શોપિંગ મોલમાંથી બે મોટી ટ્રોલી બેગ અને પોલીથીનની ખરીદી કરવામાં આવી હતી. મૃતદેહના ટુકડા આ પોલીથીન બેગ અને ટ્રોલીઓમાં રાખવામાં આવ્યા હતા.