:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મણિપુરમાં ઉગ્રવાદીઓએ કર્યો હુમલો: CMની એડવાન્સ સુરક્ષાની ટીમ પર કુકી ઉગ્રવાદીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો, 2 જવાન ઘાયલ

top-news
  • 10 Jun, 2024

મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહની એડવાન્સ સુરક્ષા ટીમ પર કુકી ઉગ્રવાદીઓએ ધાત લગાનીને હુમલો કર્યો છે. જિરીબામ જઈ રહેલી અગ્રિમ સુરક્ષા ટીમ પર ઉગ્રવાદીઓએ ત્યારે હુમલો કર્યો, જ્યારે આ ટીમ સીએમના મંગળવારના પ્રવાસ પહેલા જિરીબામ જઈ રહી હતી. મંગળવારે સીએમએ જિરીબામની મુલાકાતે જવાના હતા.

સીઆઈડી રાજ્ય પોલીસ, સીઆઈએસએફ જવાન સહિત 2 સુરક્ષા કર્મચારીઓ આ હુમલામાં ઘાયલ છે. એક ઘાયલને ઈમ્ફાલ મોકલવામાં આવ્યો છે. જિરીબામમાં છેલ્લા 2 દિવસથી હિંસાના સમાચાર આવી રહ્યાં છે અને અહીં સ્થિતિ તણાવપૂર્ણ છે. આ જ સ્થિતિની મુલાકાત લેવા માટે મણિપુરના સીએમ બીરેન સિંહ મંગળવારે જિરીબામની મુલાકાતે છે. 

નામ ન કહેવાની શરતે અધિકારીઓએ જણાવ્યું કે અગ્રિમ સુરક્ષા દળ ઈમ્ફાલથી જિરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો. ત્યારે સવારે લગભગ 10.30 વાગ્યે રાષ્ટ્રીય હાઈવે-37 પર કાંગપોકપી જિલ્લાના કોટલેનની પાસે ટી લાઈજાંગ ગામમાં હુમલો થયો હતો. આ દરમિયાન બે સુરક્ષા કર્મચારી ઘાયલ થયા છે. હાલ પોલીસ કમાન્ડો અને અસમ રાઈફલ્સની સંયુક્ત ટીમ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે. 

સીએમ સિંહ 6 જૂને અજ્ઞાત હુમલાખોરો દ્વારા એક વ્યક્તિનું માથું કપાઈ ગયા પછી જિલ્લામાં થયેલી તાજેતરની હિંસાના સિલસિલામાં મંગળવારે જિરીબામ જિલ્લાની મુલાકાતે હતા. આ ઘટનામાં 70 જેટલા ઘર, કેટલાક સરકારી કાર્યાલયમાં આગ લગાવવામાં આવી હતી. તેના પગલે ઘણાં બધા લોકો આ વિસ્તારમાંથી ભાગી ગયા હતા.